બિપારજોય વાવાઝોડુંથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેશડોલ્સ સહાય ચૂકવાશે. જાણો વ્યક્તિ દીઠ કેટલી સહાય મળશે. ગુજરાત મહેસુલ વિભાગના આમુખ -૧ના ઠરાવથી કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોનેદૈનિક રોકડ સહાય (કેશડોલ્સ)ની સહાય ચૂકવવા માટેના ધોરણો ઠરાવવામાં આવેલ છે.
ત્યારબાદ આમુખ-૨ના ઠરાવથી SDRF/NDRFઅન્વયે અપાતી તમામ પ્રકારની સહાય અસરગ્રસ્ત લાભાર્થીને બેંક એકાઉન્ટમાં DBT(Direct Benefit Transfer)અથવા PFMS (Public Fund Management System) મારફતે જ ચૂકવવાની સુચનાઓ અમલમાં છે.
કેટલી સહાય ચૂકવવામાં આવશે?
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે ઠરાવ કરીને બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયના ધોરણ જાહેર કર્યાં છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 5 દિવસ લેખે સહાયની રકમ ચૂકવવામાં આવશે. જેમાં પુખ્ત વયના વ્યક્તિને દૈનિક 100 રૂપિયા અને બાળકોને દૈનિક 60 રૂપિયા ચૂકવવામાં આવશે.
વહિવટીતંત્ર દ્વારા BIPORJOY વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે Source and credit by mahitiapp.
વહિવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલા અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્દભવતા મહેસૂલ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૧ ના સંદર્ભથી ઠરાવ્યા મુજબની સહાય ચૂકવવાની થાય છે.
બિપોરજોય વાવાઝોડા દરમ્યાન સ્થળાંતર કરાવવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મહત્તમ ૫(પાંચ) દિવસ માટે પુખ્ત વયની વ્યક્તિ માટે રૂ.૧૦૦/-પ્રતિદિન અને બાળકદીઠ રૂ.૬૦/-પ્રતિદિનની સહાય રોકડમાં ચૂકવવા આર્થી ઠરાવવામાં આવે છે. ૨. આમુખ-૧ના ઠરાવની અન્ય તમામ શરતો યથાવત રહેશે.
જિલ્લાઓની યાદી જોવા માટે | અહી ક્લિક કરો |
સરકારી ઠરાવ જોવા માટે | અહી ક્લિક કરો |
આ ઠરાવ સરખા ક્રમાંકની ફાઇલ ઉપર સરકારશ્રીની મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,